ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા પછી કાટમાળ ભેગો ગયો હતો.જેને કારણે ઋષિગંગા નદી પર પાણી અટકી ગયું હતું. ઋષિગંગામાં ભારે કાટમાળ અને કીચડ જમા થયું છે. જેને કરણે વહેણ લગભગ ઠપ થઈ ગયું છે.વહેણ અટકવાને લીધે પાણીએ સરોવર નું રૂપ ધારણ કર્યું હતું.જો આમ સતત પાણીનું જોર રેહશે તો સરોવર તૂટી શકે છે.જેના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે છે. જો આવું થશે તો રાહતકાર્ય પર અસર થશે.