વિજાપુર તાલુકાના લાડોલ ગામની સીમમાં છાપરા બાંધીને રહેતા એક દેવીપૂજક પરિવારે શનિવારે સાંજે કોઈ કારણોસર બે બાળકો સાથે પતિ પત્નીએ કૂવામાં ઝંપલાવી અંતિમ પગલું ભરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. કુવામાંથી અવાજ આવતા ખેતરમાં જઇ રહેલા ખેડુતે કુવામાં ચિચિયારીઓ સાંભળતા તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કોઈએ કૂવામાં ઝંપલાવ્યું છે. સ્થાનિકોએ લાડોલ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નગર પાલિકા ફાયર ફાઇટલના માણસો સહિત ,અધિકારીઓ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દંપતિ તેમજ એક બાતને બચાવી લેવામાં આવ્યાં હતાં. હિતેશ નામન સૌથી નાના બાળકનું મોત નિપજ્યું હતું. રેસ્ક્યુ કરી બચાવેલા મહેશભાઈ ભીખાભાઇ દેવીપૂજક, સંગીતા મહેશભાઈ દેવીપૂજક, રિતેશ મહેશભાઈ દેવીપૂજકને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
(અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)
પાછલી પોસ્ટ