કોવિડની મહામારી બાદ લોકડાઉન અને અનલોકમાં હવે રસીકરણની કામગીરી શરૂ કરવામા આવી છે જેમાં શહેરા તાલુકાના બોરીયા ખાતે રસીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રસીકરણ કાર્યક્રમાં આશાવર્કર, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જીલ્લા અને તાલુકા કક્ષાએ આરોગ્ય કર્મીઓને રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડોકર્ટસ તેમજ આરોગ્ય કર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના ડોકટર્સની દેખરેખમાં રસીકરણ કરાયું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)
પાછલી પોસ્ટ