વર્ષ ૨૦૧૮ માં એનસી૩૭ ચાવંડથી ઉપલેટા સુધી પીવાના પાણી માટે નર્મદા બલ્ક પાઈપ લાઈનની યોજના જે ૬૦૦.૬૦.કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં ખેડૂતોની જમીન જે ૨૫ મીટર સંપાદન કરવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોની માંગ એવી છે કે આ યોજનામાં ૨૫ મીટર જમીન જે સંપાદન કરવામાં આવી રહી છે તે ૯ મીટર કરવામાં આવે. આ પહેલાં પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કલેકટર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી જે ખેડૂતોની માંગણી છે તે ૯ મીટરની યથાવત રહેશે. ફરીથી કલેકટર દ્વારા જમીન સંપાદનનો ૨૫ મીટરનો હુકમ આપવામાં આવ્યો છે જેને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ આ વળતર બાબતે જે કિંમત નક્કી કરવામાં આવી છે ખેડૂતોને મંજૂર નથી. આ બાબતે આજરોજ જેતપુર મામલતદાર ઓફિસ અમરનગર, ખીરસરા સહિતના પાંચ ગામના ખેડૂતોએ જે જમીન જેમની સંપાદન થઈ છે તે ખેડૂતો દ્વારા વાંધા અરજી આપવામાં આવી છે.
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
પાછલી પોસ્ટ