વણાકબારાના દરિયામાં સાઉદવાડીની બોટમાં પાણીનો અચાનક ભરાવો થતાં બોટ ગરકાવ થઈ જવા પામી છે. સાઉદવાડીના નાનજી રામા બામણીયા બોટનું નામ પ્રાર્થના આઈએનડી, ડીડી ઝીરી ૨, ૪૧૪ છે. બોટમાં એક ટંડેલ અને સાત ખલાસી હતા જેનો આબાદ બચાવ ત્રિલોકેશ નામની બોટમાં રહેલ ખલાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રાર્થના બોટ તારીખ ૧૬ ડિસેમ્બર ના રોજ માછીમારી કરવા માટે નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, બોટ ડૂબતા માલિકને લાખોનું નુકસાન થયું છે.
(વડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)