Aapnu Gujarat
Uncategorized

વેરાવળના ડારી ગામમાં 5 સિંહોનો આંતક : 70 ઘેંટા-બકરાનું મારણ

સિંહ દ્વારા જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માનવી તેમજ અન્ય પ્રાણીઓ પર હુમલો કરતા હોવાના અનેક બનાવ પ્રકાશનમાં આવતા થયાં છે. ત્યારે રવિવાર રાત્રીની વેરાવળના ડારી ગામે 5 સિંહ દ્વારા આંતક મચાવવામાં આવ્યો હતો,જેમાં સિંહોએ 70 ઘેંટા-બકરાનને નિશાનો બનાવી હુમલો કર્યો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગિર-સોમનાથ જિલ્લાના વેરાવળના ડારી ગામે રવિવાર રાત્રીના 5 સિંહોનું ટોળું ગામમાં ધૂસ્યું હતું અને ધીરૂભાઇ સોલંકીની વાડીમાં માલધારી જીવા પોલા ચાવડાએ પોતાના ઘેંટા-બકરાનું ઝુંડ રાખ્યું હતું તે દરમ્યાન મોડી રાત્રે 5 સિંહના ટોળાએ વાડીમાં સુતેલા 70 જેટલા ઘેંટા-બકરાનાં ઝુંડ પર હુમલો કરી મારણ કર્યું હતું.
આ પહેલા પણ ગત અઠવાડીયામાં ગરૂવારે આજ વિસ્તારમાં વાડી ધરાવતાં નૂર મહ્મમદ અમીનની વાડીમાં સિંહે ગાયનું મારણ કર્યું હતું. જ્યારે આ બનાવ બાદ ડારી ગામ સહિત આજુ-બાજુના વિસ્તારોમાં માલધારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. સાથે ઘેંટા-બકરાને સુરક્ષીત સ્થળ પર રાખવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Related posts

विदेशी मुद्रा भंडार 44.6 करोड़ डॉलर घटकर 428.6 अरब डॉलर पर

aapnugujarat

ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આતંકીઓને પડકાર્યા

aapnugujarat

મોર ના ઈંડા ચીતરવા ના પડે તે કહેવત પુરવાર કરતી મુસડીયા ફેનલ

editor

Leave a Comment

UA-96247877-1