ગઈ કાલ રાત્રિથી જ ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાનાં આજોઠા, કાજલી, ભેટાળી, કોડીદ્રા સહિતના ગામોમાં કમૌસમી વરસાદ થયો છે. કમૌસમી વરસાદના થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ચણા, બાજરી, તુવેર, ધાણા સહિતના પાકોને નુકસાન પહોંચવાની ભીતિ છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)