૭ ડિસેમ્બરથી યુનિવર્સિટીમાં યુજી સેમીસ્ટર ૩ અને સેમીસ્ટર ૫ તતા પીજી સેમીસ્ટર ૩ની પરીક્ષાો શરૂ થઈ રહી છે તેમાં ૨૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાની સગવડ થયેલ નહતી. અમુક કોલેજોએ પૂરતા લેકચર પણ લીધેલ નથી. ઉપરાંત કોરોના મહામારીમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ગામડેથી અને અન્ય સ્થળેથી વિદ્યાર્થીઓ આવશે અને પોતાની સાથે કોરોના લઈ જશે. આ પરિસ્થિતિમાં ભાવનગર પણ અમદાવાદ, સુરત જેવી ભયાનક મહામારીમાં ગરકાવ થઈ શકે છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટીને વિનંતી કરાઈ છે કે હાલ આ પરીક્ષા મોકુફ રાખવામાં આવે.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)
આગળની પોસ્ટ