Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૧૨ની પરીક્ષા લેવાશે : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ગુજરાતમાં બોર્ડના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું શું તે સવાલ વાલીઓને થયો છે. આવામા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, ધોરણ ૧૨ ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થય અમારા માટે પહેલી પ્રાયોરિટી છે. આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેમણે જણાવ્યુ હતુ કે, ધો-૧૨ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.

Related posts

२०२० में कक्षा १०-१२ की बोर्ड परीक्षा ५ मार्च से होगी

aapnugujarat

યુનિવર્સિટી સેનેટ ચૂંટણી આ વર્ષમાં યોજવી અશકય : કોર્ટ

aapnugujarat

લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ૩૨૩૨બી૧ઝોન૨ અને દિવાલ બલ્લુભાઈ સ્કૂલ દ્વારા રેલીનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1