જામનગર કાલાવડ પંથકમાં ગત વર્ષ ૨૦૦૮ની સાલમાં લગભગ ૧૧ જેટલા ઘાડપાડુઓએ લાકડાના ઘોકા વડે હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત આશરે ૧ લાખની માલમતાની લુંટ ચલાવીને નાસી છુટયા હતા જે ધાડ લૂંટ કાંડમાં જે તે સમયે મુળ મધ્યપ્રદેશનો વતની ખેતમજુર વિનોદ નાનસિંગ ઉર્ફે નેનસીંગ મચ્છાર નામના શખ્સની સંડોવણી ખુલી હતી જે ફરાર થયો હતો. ટેકનીકલ સર્વેલન્સ પરથી ફરાર આરોપી વિનોદ મચ્છાર રાજકોટના ઇશ્વરીયા પાસે હોવાની માહિતી મળતા જ તેને પકડીને કબજો કાલાવડ પોલીસને સુપરત કર્યો હતો.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)
પાછલી પોસ્ટ