જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ દિલ્હી પરેડમાં લેશે. એનસીસી શિબિરમાં જુદા જુદા પાંચ શહેરના ૫૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે . તમામ વિદ્યાર્થીઓને પાંચ દિવસ સુધી એનસીસીના અધિકારીઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે . ઉમદા દેખાવ કરનારા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે ૨૬ જાન્યુઆરીએ યોજાનારી પરેડમાં તક આપવામાં આવશે . જામનગર એનસીસીના સીઈઓ એમ . કે . બક્ષીએ જણાવ્યું છે કે, હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એનસીસી કેડેટસ સંક્રમિત ન થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે .
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)