પાલિતાણા નજીક આવેલ કુંભણ ગામની નજીક આવેલ માનવ પરિવાર ટ્રસ્ટ મંદબુદ્ધિ આશ્રમમાં મંદબુદ્ધિ માણસો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને લેબોરેટરી બ્લડ ચેકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. તુષારભાઈ રાજ્યગુરુ (જીવન જ્યોત હોસ્પિટલ ભાવનગર) ઠાડચના અને લેબોરેટરી વિભાગ ધર્મેશભાઈ કોઇસા (ખુશી હેલ્થસેન્ટર ભાવનગર)એ સેવા આપી હતી. માનવ પરિવાર ટ્રસ્ટના બિમાર અને કમજોર વ્યક્તિની તપાસ અને બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તમામ મંદબુદ્ધિ માણસોને દવા અપાઇ હતી, જે લોકોમાં લોહીના ટકા ઓછા હતાં તેઓની પણ સારવાર કરવામાં આવી હતી. માનવ પરિવાર ટ્રસ્ટની ટીમ પ્રકાશ ગૌસ્વામી, ભરતભાઈ, વિપુલભાઈ, માવજીભાઈ સહિતના સેવાભાવી માણસોએ આ તમામની સારવાર કરી હતી. માનવ પરિવાર ટ્રસ્ટે તબીબો અને આ સૌ લોકોને આભાર માન્યો છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)
આગળની પોસ્ટ