અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે ધોરાજી શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે આવેલી પ્રતિમાને ધોરાજી ભાજપ દ્વારા ફુલહાર કરવામાં આવ્યાં હતાં. પ્રમુખ વિનુભાઈ માથુકિયા, ઉપપ્રમુખ કૌશિક વાગડિયા, વેપાર ઉદ્યોગ મહામંડળના લલિત વોરા, રાજેશ બાલધા, હરકિશન માવાણી, ક્રિશ કોરાટ, પ્રવિણ સિરોયા, કિરીટ વઘાસિયા, પરેશ પંડ્યા, કલ્યાણજીભાઈ ત્રાડા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ફુલહાર કર્યા હતાં.
(તસવીર / વિડિયો / હેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)