ભારતની એકતાના શિલ્પી, રાષ્ટ્ર નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતી અને આર્યન મહિલા અને દેશના વિકાસ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં ઐતિહાસિક સરદાર નગર ખંડ પાસે શ્રદ્ધા સુમન પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયેલ હતો. સરદાર વલ્લભભાઈ પટેલ તથા સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની દેશ સેવાઓને યાદ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉસ્માન બેલી, રાજેશ અડિયલ, નિરૂપા ભરવાડ, આર. એન. પટેલ, ભારતસિંહ બારીયા, ગણપતસિંહ વકીલ, હાજી હનીફ કલંદર, આબિદ શેખ, જય ગણેશ ચૌહાણ, ફિરોઝ સિંધી, ઉમેશ શાહ, ફારૂક વોરા, અયુબ ચરખા, યાકુબ તપેલી, જાવેદ વલી સહિત કોંગ્રેસી કાર્યકરોએ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન સાથે પુષ્પાંજલિ આપી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)