ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટિલ કોરોના પોઝિટવ આવતાં તેમને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બીજેપી પ્રમુખ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં પ્રવાસમાં સાથે ફરેલા નેતાઓ અને કાર્યકરોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. પાટીલનાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલાં ઘણાં લોકો પહેલાંથી જ સંક્રમિત થઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, સી.આર.પાટીલનાં કાર્યક્રમોમાં ક્યાંય પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું નહતું. હાલ ભાજપનાં કાર્યકર્તાઓ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પાછલી પોસ્ટ