ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ તા. ૨૮ મી ઓગસ્ટના રોજ રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
ચોટીલા સ્થિત નગરપાલિકા ટાઉન હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીની સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત, મેઘાણીજીના જીવન ઉપર આધારીત ડોકયુમેન્ટ્રી ફિલ્મ તેમજ અભયસિંહ રાઠોડ સહિતના કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવશે.