Aapnu Gujarat
ગુજરાત

મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાશે

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પણ તા. ૨૮ મી ઓગસ્ટના રોજ રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

ચોટીલા સ્થિત નગરપાલિકા ટાઉન હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીની સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત, મેઘાણીજીના જીવન ઉપર આધારીત ડોકયુમેન્ટ્રી ફિલ્મ તેમજ અભયસિંહ રાઠોડ સહિતના કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવશે.

Related posts

दिव्यपथ स्कूल की बस और ट्रक के बीच सड़क दुर्घटना

aapnugujarat

વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે પ્રજાનાં પૈસા લૂંટાઇ રહ્યા છે

aapnugujarat

મોદીના ગૃહવતન વડનગરમાં ભાજપને ૨૮માંથી ૨૭ સીટો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1