તાજેતરમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.
ઉલેખનીય છે કે અમરસિંહને ભારતીય રાજકારણમાં કોઈ પરિચયની જરૂર નથી. ઉત્તર પ્રદેશથી રાજકીય પ્રવાસ શરૂ કરનાર અમરસિંહને એક સમયે મુલાયમ સિંહનો જમણો હાથ માનવામાં આવતો હતો. આજે પણ તે સમાજવાદીઓના ‘જાની દુશ્મન’ ગણાય છે. સુત્રો મુજબ રાજ્યસભાના સાંસદ અમરસિંહનું લાંબા સમયથી બીમાર હતા જયારે સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત થયું છે. છેલ્લા 6 મહિનાથી તેમની સારવાર ચાલતી હતી. અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું
મહત્વની વાત તો એ છે કે છેલ્લે છેલ્લે તેમની ભાજપ સાથે નિકટતા વધી હતી.