સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામે જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડૉ. નિર્લેપસિંહ પલાણીયા,, જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર આર.આર.કાલીયા, આઈ. એન. સોલંકી, જયશ્રી સોલંકી, આર. એન. ગોંડલીયા, પીે.જી.સોલંકી તથા આશાવર્કર હેનો હાજર રહ્યા હતા અને નાનુ કુટુંબ સુખી કુટુંબ, લગ્નની યોગ્ય ઉંમર, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ, દીકરો દીકરી એક સમાન, તથા મોડા લગ્ન એક જ બાળ સુખી સમૃદ્ધ રહે સંસારનો સંદેશો લોકો સુધી પહોંચે તે બાબતે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સમયે કોરોનાના સંક્રમણને રોકવા માટે સૂચન કરવામાં આવ્યું હતું તેમજ અહીં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર,)
પાછલી પોસ્ટ