સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારિયા ગામમાં કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી હતી. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. કંથારિયા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્યની ટીમ, પોલીસ તેમજ અન્ય અધિકારીઓએ તાત્કાલિક પહોંચી ગઈ હતી. ૪૨ વર્ષીય જગદીશ વાનેચાને કોરોનાના લક્ષણો દેખાતા તેઓને વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે, તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જાણવા મળી નથી તેમજ કોરોનાગ્રસ્ત વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને સેનેટ રાઈઝર કરવામાં આવેલ છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)
પાછલી પોસ્ટ