સરકારી આયુર્વેદિક દવાખાના દિહોરના આયુર્વેદિક ચિકિત્સક નિષ્ણાંત વૈદ મહેન્દ્રસિંહજી સરવૈયાનું શાલ, સન્માનપત્ર અને પુષ્પગુચ્છથી સુરભી આરોગ્ય ભંડાર, તળાજાના શિક્ષક ધનજીબાઈ લાધવા દ્વારા કરાયું હતું. વેધ મહેન્દ્રસિંહજીએ કોરોના કોવિડ – ૧૯માં અમદાવાદ ખાતે ઉત્તમ કામગીરી કરી હતી જેની નોંધ ગુજરાત આરોગ્ય વિભાગે લીધી હતી. દિહોરના આરોગ્ય કેન્દ્ર ખાતે ધનજીભાઈ લાધવા તથા ગામ લોકોએ મહેન્દ્રસિંહજીની સેવા બિરદાવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)