વેરાવળ માં સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાશે જેમા આવતીકાલે તારીખ ૧૧ જુનનાં બપોરે ૪ વાગ્યે ઇન્ડિયન રેયોન સ્કુલ સ્પોટેસ ગાઉન્ટ મા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતમાં યોજવાનું છે .આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષની અંદર કઇ કઇ યોજના લોકો સુધી પહોંચી છે અને લોકોને તેનો કેવો ફાયદો થયો છે તેમજ કેન્દ્ર સરકાર ની વિવિધ કામગીરીથી તેમજ જનકલ્યાણ યોજનાઓથી લોકોને મહિતીગાર કરશે.
આમ આ સંમેલનમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ જિલ્લાના મંત્રી જશાભાઈ બારડ, જેઠાભાઈ સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા, ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પ્રમુખ મણીબેન રાઠોડ, ધારાસભ્ય ગોવિંદ ભાઇ પરમાર, પ્રવાસ નિગમના ડાયરેક્ટર ઝવેરીભાઇ ઠકરાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ જગદીશ ફોફંડી સહિતના આગૈવાનો હાજરી આપશે અને લોકોને બહોળી સંખ્યામાં હાજર રહેવા જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રભાઇ પીઠયા તેમજ માનસિંહ પરમાર હેમંત ભાઇ પડશાળ તેમજ ડો જયેશ વધાશિયા જણાવ્યું છે.
આગળની પોસ્ટ