ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સામાન્ય રીતે મધ્યસ્થ કાર્યાલય પર સમર્થકો અને લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દિયોદરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય પર કાગડા ઉડી રહ્યા છે. ભાજપે કેશાજી ચૌહાણને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે સિવાભાઈ ભુરિયાને મેદાનમાં ઉતાર્યા છે. બંને પક્ષના નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ મોટા ઉપાડે કાર્યાલયો શરૂ કર્યા છે.પરંતુ સમર્થકો અને લોકોને જાણે ભાજપ કે કોંગ્રેસમાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના કાર્યાલય પર માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકરો દેખાઈ રહ્યા છે. તો ભાજપના કાર્યાલય ઉપર પણ કાર્યકરોની પાંખી હાજરી દેખાઈ રહી છે. મીટીંગો માટે લોકોને ૫કડીને સભાસ્થળ સુઘી લાવવા ૫ડી રહ્યા છે.આ ઉ૫રાંત સભાઓ અને રેલીઓમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. ચૂંટણી લડી ધનવાન થતાં નેતાઓમાંથી જાણે કે પ્રજાનો રસ ઉડી ગયો હોય તેવા માહોલમાં પ્રજાના પૈસે તાગડધિન્ના કરનારાને ચૂંટવામાં પ્રજાને રસ નથી, તેવું આ માહોલમાં લાગી રહ્યું છે.