બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં દાઉદી બોહરા સમાજના લોકો વસવાટ કરે છે, તેમાંથી એક ભદ્રવાડી ગામમાં બોહરા સમાજના લોકો પણ રહે છે. આ ગામમાં દરેક લોકો ભાઈચાારથી રહે છે.
આજે દાઉદી બોહરા સમાજમાંથી તેમના ધર્મગુરુ સૈયદના સાહેબે મોકલેલા ‘‘સાહેબે દાવત’’ ભદ્રવાડી ગામે મહેમાન તરીકે આવ્યા હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતમાં જુની કહેવત છે કે ‘‘અતિથિ દેવો ભવઃ’’ જેને સાર્થક કરતાં ગામનાં દરેક સમાજનાં લોકોએ દાઉદી બોહરા જમાઅત,ભદ્રવાડીના સેક્રેટરી અને જમાઅત મેમ્બર તેમજ બોહરા સમાજના લોકોએ સાથે મળીને ‘‘સાહેબે દાવત’’નું ગુલદસ્તો આપી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)
પાછલી પોસ્ટ