Aapnu Gujarat
ગુજરાત

ગીતા જયંતિ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે થયેલ ઉજવણી

હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્વારા તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૧૯ રવિવારના રોજ ગીતા જયંતિ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી જેમાં ભગવદ-ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતુ. મહોત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ હીસ ગ્રેસ શ્રી જગનમોહન કૃષ્ણ દાસા એ ભગવદ-ગીતાનું મહત્વ સમજાવતા પરિસંવાદ કર્યો હતો. ગીતા જયંતિ ઉત્સવના ઉપક્રમે “ગીતામંડપ” નુ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંડપમાં કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદ દ્રારા “ભગવદગીતા-યથાસ્વરૂપે” માં વિશેષ રીતે કરેલ નોંધની આવૃતિ તેમજ તેની વિશ્વની આશરે ૮૩ જેટલી જુદી-જુદી ભાષાઓમાં રૂપાંતરીત થેયલ કૃતિઓ મુકવામાં આવી હતી. ઉત્સવ દરમ્યાન ભક્તિ સંગીત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને અંતમાં મહામંગલા આરતી કરવામાં આવી હતી. મંદિર ના બાલ સભા ’બાલ સંસકૃતી’ દ્વારા અનેક રમતો, ક્વિઝ, ગીતા સેલ્ફએ પોઇન્ટ, એક્સ્પો ઓન ભગવદ્‌ ગીતા જેવા કાર્યક્રમો યોજાયા હતા જે ભગવદ્‌ ગીતા ફેસ્ટ નો ભાગ હતો. જેના થકી આજ ના આધુનિક પેડ઼ીને ભગવદ્‌ ગીતા નું દિનચર્યા માં અમલ કરવાનો બોધ મળે. ગીતા જયંતિ ના સંદર્ભે મંદિરમાં ગીતા તુલા દાન આયોજન થયું જેમાં ઘણા ભક્તો એ પોતાના અને પરિવારજનો ના વજન જેટલી ભગવદ્‌ ગીતા નું દાન કર્યું. ગીતા તુલા દાન અનાદિ કાળ થી ચાલતી પરંપરા અનુસાર ચાલતી દાન પદ્ધતિ છે જેમાં દાતા સમાજ ના અન્ય લોકોને ગીતા નું વિતરણ કરીને ભગવાન ની કૃપા મેળવે છે.
ગીતા જયંતિના મહાન પર્વના દિવસે વિશ્વના સમસ્ત વૈષ્ણવો દ્રારા ભગવદ-ગીતા માં આલેખાયલ ભગવાન શ્રીકૃષ્ણના અર્જૂન સાથે થયેલ સંવાદની ઉજવણી કરવામાં આવે છે. વર્ષો પહેલાં કુરુક્ષેત્રની યુધ્ધભૂમિ પર વિરોધી સેનાઓની મધ્યમાં ઉચ્ચારાયેલ ભગવદ્‌-ગીતા ના પ્રસંગની યાદગીરીરૂપે ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી આ દિવસે દરેક મંદિરોમાં, ગ્રામવિસ્તારમાં અને ઘરોમાં કરવામાં આવે છે.
ભગવદ-ગીતાનો સંદેશ તેના તત્કાલીન ઐતિહાસિક સંદર્ભની મર્યાદા ને પાર અને કાલાતીત સત્યો પ્રગટ કરે છે. પ્રશ્ન અને તેના ઉત્તરની ગોઠવણ આધ્યાત્મિક વિષયનું જ્ઞાન આપે છે જેમકે ક્રિયા અને પ્રતિક્રિયા, તેમજ જીવ અને પ્રકૃતિ વચ્ચેનો તફાવત સમજાવે છે. આ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જૂન સાથે પરમેશ્વર તથા કાલચક્રના સિધ્ધાંત વિષે ચર્ચા કરે છે.
અધ્યાય ૪ની શરૂઆતમાં ભગવદ-ગીતા તેના ઐતિહાસિક અસ્તિત્વ વિષે સમજ આપે છે જેના અસ્તિત્વનો વિચાર કરતા તે પડકારરૂપ જણાય છે. સમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણભક્તિ નો પ્રસરાવ કરવાની ચળવળના પ્રણેતા કૃષ્ણકૃપામૂર્તિ એ.સી.ભક્તિવેદાન્તા સ્વામી શ્રીલા પ્રભુપાદ તેમના સાહિત્યમાં જણાવે છે કે ભગવદ-ગીતાનું ઉચારણ આશરે ૧૨૦,૪૦૦,૦૦૦ વર્ષો પહેલા થયેલ હતું અને માનવ સમાજમાં ૨,૦૦૦,૦૦૦ વર્ષો સુધી વિદ્યમાન હતું. આ ભગવદ-ગીતાનું આશરે ૫૦૦૦ વર્ષો પહેલા ફરીથી ભગવાન શ્રીકૃષ્ણ દ્રારા શરણાગત રૂપે ઉપસ્થિત અર્જૂન સમક્ષ ઉચ્ચારણ થયું હતુ. સ્વયં ગીતાનો અને તેનું ઉચ્ચારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રમાણે ભગવદ-ગીતાનો આ એક વર્ણવેલ ઈતિહાસ છે.
જે કોઈ ભક્તો નિયમિત રીતે ગીતા જ્ઞાનનું તેમની બુદ્ધિમત્તા દ્રારા રસપાન કરે છે તેઓ જીવનમાં તેના ઉપયાગની મહત્વતાને સમજે છે. આથી ઘણા લોકો માટે ગીતા જયંતિ મહોત્સવ એ ખાલી ભૂતકાળના પ્રસંગની યાદગીરરૂપે નહીં પણ વર્તમાન સમયમાં ગીતાના અનુરૂપતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાના એક અવસર તરીકે ગણવામાં આવે છે.

Related posts

गुजरात के उपमुख्यमंत्री बोले, अलग होता है चुनाव जीतने का गणित

editor

હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર, એસ.એસ. રાઠૌર સલાહકાર

aapnugujarat

કડીમાં બે યુવતીઓ ઉપર દુષ્કર્મની આશંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1