Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રાંતિજ અને ચંદ્રાલાના ખેતરોમાં પાણી ઘુસતા નુકસાન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ચંદ્રાલા વિસ્તારનાં ખેતરોમાં હાથમતી નદીના પાણી ઘુસી જતા અંદાજે ૭ વિઘા ટામેટા અને ૫ વિઘા જેટલા બટાકાના વાવેતરમાં પાણી ફરી વળતાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા કેનાલમાં નિયમિત ધોરણે સાફ-સફાઈ કરાવવામાં ના આવતા હજારો લિટર કેનાલનું પાણી ખેતરોમાં ઘુસી ગયું હતું. તંત્રની બેદરકારીના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ટામેટાના માંડવા જમીન તરફ પડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાવ્યુ હતું. હવે જોવું રહ્યું કે આ બાબતે તંત્ર ક્યારે નિંદ્રામાંથી ઊઠીને કામે લાગશે અને ખેડૂતોને વળતર ક્યારે ચૂકવવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અગ્નિદાહ માટે પૈસા નહીં હોવાથી દીકરાને માતાની લાશ કચરામાં ફેંકવી પડી

aapnugujarat

Core to its agenda, Sangh Pariwar prepares the ground for population control

aapnugujarat

લિંગાયત સંદર્ભે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ફ્લોપ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1