સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને ચંદ્રાલા વિસ્તારનાં ખેતરોમાં હાથમતી નદીના પાણી ઘુસી જતા અંદાજે ૭ વિઘા ટામેટા અને ૫ વિઘા જેટલા બટાકાના વાવેતરમાં પાણી ફરી વળતાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા કેનાલમાં નિયમિત ધોરણે સાફ-સફાઈ કરાવવામાં ના આવતા હજારો લિટર કેનાલનું પાણી ખેતરોમાં ઘુસી ગયું હતું. તંત્રની બેદરકારીના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ટામેટાના માંડવા જમીન તરફ પડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાવ્યુ હતું. હવે જોવું રહ્યું કે આ બાબતે તંત્ર ક્યારે નિંદ્રામાંથી ઊઠીને કામે લાગશે અને ખેડૂતોને વળતર ક્યારે ચૂકવવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ