બનાસકાંઠા જીલ્લામાં કેનાલ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખેડૂતોને ભોગવવું પડે છે. વારંવાર ગાબડા પડતા અને અધિકારીઓની બેદકારીના લીધે અનેક વિસ્તારમાં કેનાલોની સાફ સફાઇ પણ કરવામા આવતી નથી ત્યારે ખેડૂતોને કેનાલો સાફ કરવી પડે છે. ભાભર તાલુકાના તેતરવાથી ચલાદર ગામ સુધીની ૨૪ નંબરની માઇનોર નર્મદા કેનાલને સ્થાનિક ખેડૂતોએ ભેગા મળીને સાફ કરી છે. અનેકવાર અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. કિસાન એકતા સમિતિના પ્રમુખ રામજીભાઇ રાઠોડને આ અંગે જાણ કરાઈ હતી અને બાદમાં ખેડૂતોએ જાતે જ કેનાલની સ્સફાઈ હાથ ધરી હતી.
(અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)
પાછલી પોસ્ટ