Aapnu Gujarat
ગુજરાત

ભાભરનાં ખેડૂતોએ કેનાલની સફાઇ હાથ ધરી

બનાસકાંઠા જીલ્લામાં કેનાલ કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખેડૂતોને ભોગવવું પડે છે. વારંવાર ગાબડા પડતા અને અધિકારીઓની બેદકારીના લીધે અનેક વિસ્તારમાં કેનાલોની સાફ સફાઇ પણ કરવામા આવતી નથી ત્યારે ખેડૂતોને કેનાલો સાફ કરવી પડે છે. ભાભર તાલુકાના તેતરવાથી ચલાદર ગામ સુધીની ૨૪ નંબરની માઇનોર નર્મદા કેનાલને સ્થાનિક ખેડૂતોએ ભેગા મળીને સાફ કરી છે. અનેકવાર અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. કિસાન એકતા સમિતિના પ્રમુખ રામજીભાઇ રાઠોડને આ અંગે જાણ કરાઈ હતી અને બાદમાં ખેડૂતોએ જાતે જ કેનાલની સ્સફાઈ હાથ ધરી હતી.
(અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

વડોદરા : ૬ કરોડની કિંમતના હેરોઈન સાથે નાઈજીરિયન ઝડપાયો

aapnugujarat

Gujarat applauded by PM Modi for rise in Asiatic lions

editor

ભષ્ટ્ર વિભાગમાં ગૃહવિભાગ પ્રથમ અને મહેસૂલ વિભાગ ત્રીજા ક્રમે : એન્ટી કરપ્શન બ્યૂરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1