કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામમાં સંકટ મોચન હનુમાનદાદાનાં મંદિર તથા ભવાની માતાજીનાં મંદિરમાં દાનપેટી તોડી અંદાજે ૧૨હજારથી વધુ રોકડ રકમની ચોરી થઈ છે. મળતી માહિતી મુજબ ખીમાણા ગામમાં હનુમાનદાદાનાં મંદિરમાં દાનપેટી ચોરવાની કોશિષ કરાઈ હતી પણ દાન પેટી ન તૂટતા છરી અને મેણ પડતા મૂકીને ચોર પલાયન થઈ ગયા હતાં તેમજ મંદિરમાંથી માઇક એમ્બલીફાયર વગેરે અંદાજે ૧૫ હજારથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં.ચોરીની જાણ થતાં ગામ લોકો ભેગા થઈ ગયા હતાં અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી શિહોરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ