ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ, અમદાવાદની કારોબારી સભા તથા સાબરકાંઠા જીલ્લા ગ્રામસેવક મંડળની સામાન્ય સભા ઈડર ખાતે યોજાઈ હતી જેમાં રાજ્યના ઘણાં વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી પાકોમાં નુકસાન થયેલ હોઇ ઝડપથી સર્વે પુરો કરી યોગ્ય ખેડૂતલક્ષી કાર્યવાહી ઝડપથી કરવા રાજ્ય પ્રમુખ ભુપતસિંહ ડોડિયા અને મહામંત્રી ધીરુભાઈ દ્વારા સુચના આપવામાં આવી હતી. ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાઈ આવેલ તથા જેમનો આત્મા સદાય ખેડૂતોલક્ષી રહેલો હોય તેવા નિવૃત્ત ગ્રામસેવક અજમલજી ઠાકોર ધારાસભ્ય બનતા તેમનું સન્માન રાજ્ય મહામંડળ તથા જીલ્લા મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતું સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાબરકાંઠા જીલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ હેમંત પટેલ, મહામંત્રી એસ.જે પટેલ તથા મહામંડળના મંત્રી અને જીલ્લા મંડળના રાજ્ય પ્રતિનિધિ આર.કે. ગઢવી તથા સમગ્ર ટીમ સાબરકાંઠા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી મંડળના સભ્ય એ.જે.પટેલ દ્વારા કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ