કારતક માસ અમાસે ઉજવવામાં મુખ્ય દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર આવે છે. જે કારતક મહિનાની પૂનમના દિવસે મનાય છે. આ દિવાળી ખાસ કરીને ગંગા મૈયાની પૂજા માટે કાશી તીર્થસ્થળની સાથે બીજા ગંગા ઘાટ પર પણ ઉજવવામાં આવે છે. કહેવતો અનુસાર આ દિવસે શિવજી ધરતી પર અવતરે છે. આ દિવસે જે પણ મનુષ્ય તેમની પૂજા પાઠ કરીને અન્નદાન કરે છે તેમના પાછલા 7 જન્મોના પાપનો નાશ થાય છે. માનવામાં આવે છે કે, જ્યા ભોલેનાથની સાથે બીજી તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.
• દેવ દિવાળીએ શું કરશો?
આ દિવસના રોજ ગંગાજળથી સ્નાન કર્યા પછી વિધિ વિધાનથી ગંગાજી અને શિવજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે.
હજારો લોટના દિવા પ્રગટાવીને વહેતા જળમાં પ્રવાહ કરો.
આ દિવસના રોજ જે પણ માણસ શ્રધ્ધાપૂર્વક માં ગંગાજી તથા ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને અભિષેક કર્યા પછી અન્નનું દાન કરો અને એ કરતા જ તેમના પાછલા જન્મના થયેલ પાપ કર્મોનો નાશ થશે.
• કેવી રીતે ઉજવવામાં આવે છે દેવ દિવાળી
પ્રાચીન માન્યતા પ્રમાણે દેવઉઠી અગિયારસના ચાર મહિના પછી ભગવાન વિષ્ણુ નિન્દ્રાથી જાગે છે, અને તેનાથી જ પ્રસન્ન થઇને બધા દેવી દેવતાઓ સ્વર્ગથી આવીને શિવજીની પ્રિય નગરી કાશીમાં ગંગા મૈયાના તટ પર દિવો પ્રગટાવીને ઉત્સવ મનાવવામાં આવે છે.
દેવ દિવાળીની પૂજા તથા કરો આ 10 વિશેષ કામ
સવારે વહેલા ઉઠીને શ્રી ગણેશજીનું ધ્યાન કરતા ગંગાજળથી સ્નાન કરો.
હવે કોઇ વાસણમાં ગંગાજળ લઇને ભગવાન શિવજીને ગંગા-અભિષેક કરી અને ષોડપોચાર વિધિથી પૂજા કરો. આમ કરવાથી મા ગંગા પાછલા 7 જન્મોના પાપ હરી લેશે.
ગંગાજી તથા શિવજીની શ્રધ્ધા પૂર્વક આરતી કર્યા પછી ત્યા જ ગંગા ઘાટ પર બિરાજમાન થઈને ॐ नमः शिवाय મંત્રનો 108 વાર જાપ અવશ્ય કરો.
31 વાર મહામૃત્યુજય મંત્રનો જાપ પણ કરો.
સુવિધા પ્રમાણે શ્રી રામચરિતમાનસનો પાઠ અને શ્રી સુંદર કાંડનો પાઠ કરો.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વિષ્ણુસહસ્ત્રનામાવલીનો પાઠ કરવો જોઇએ.
આ દિવસે તમારા ઘરે ગંગા મૈયાના પવિત્ર જળને લઇને આવો.
દેવદિવાળીના દિવસે પૂજા કરવાથી એક સાથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે અને જન્મ જન્માંતરના પાપનો નાશ થાય છે.