પાલનપુર ખાતે અગામી ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પ્રથમ વખતે પરમ પૂજ્ય શ્રી શ્રી શ્રી રવિશંકર દિપોત્સવ ૨૦૧૯ અંતર્ગત શ્રી મહાલક્ષ્મી પૂજા અને મહા સત્સંગમાં પધારશે જેમાં તમામ જિલ્લાવાસીઓને પધારવા ડીસા ખાતે પધારેલા યોગગુરૂ શૈલેષ રાઠોડે અનુરોધ કર્યો હતો. પાલનપુર ખાતે ગુરુદેવ શ્રી શ્રી શ્રી રવિશંકર આગામી ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પધારી રહ્યા છે ત્યારે જિલ્લામાં તેમના આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડીસા અને પાલનપુર ખાતે પધારેલા આર્ટ ઓફ લિવિંગના યોગગુરૂ શૈલેષરાઠોડ ડીસા ખાતે બાબુભાઈ માળીના ફાર્મ હાઉસ ઉપર તમામ આર્ટ ઓફ લિવિંગ ડીસાના કાર્યકર્તાઓની એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં વધુમાં વધુ લોકો ગુરુજીનો સત્સંગનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો. આ બાબતે શૈલેષ રાઠોડે જણાવ્યું કે ગુરુજી પ્રથમ વખત પાલનપુરના મહેમાન બન્યા છે ત્યારે જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ છે જેની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તમામ આર્ટ ઓફ લિવિંગના સેન્ટર ખાતે કાર્યકર્તાઓની બેઠકો યોજવામાં આવી રહી છે ત્યારે તમામ જિલ્લાવાસીઓને મહા સત્સંગ અને શ્રી મહાલક્ષ્મી પુજા કરવા માટે આમંત્રણ છે આ બેઠકમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)
પાછલી પોસ્ટ