Aapnu Gujarat
ગુજરાત

ઢીમા ખાતે શ્રી સેનજી મહારાજ મંદિરમાં સવા કિલો ચાંદીનું ભાણું અર્પણ કરાયું

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ શ્રી ચેનજી મહારાજ મંદિરમાં સવા કિલો ચાંદીનું ભાણું અર્પણ કરવામાં આવ્યું છે.વાવ તાલુકાના સેન સમાજના પ્રમુખ મધાભાઈ નાઈ તેમજ મંત્રી અખાભાઈ અને મધાભાઈ દેવકાજી નાઈની હાજરીમાં સણવાલ ગામનાં નરપતભાઈ ધરમાજી નાઈએ શનિવારે ચાંદીનું ભાણું દાન કર્યું છે. જોકે સેનજી મહારાજના મંદિરમાં દર પૂનમે સમાજના લોકો એકઠા થતાં હોય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે. શરદ પૂનમનાં દિવસે નાઈ માદેવભાઈ માનાભાઈ અને નાઈ રામજીભાઈ હેમાભાઈ ભોજન પ્રસાદના દાતા રહ્યા હતા. જોકે દર પૂનમે નાઈ સમાજના લોકો પ્રસાદનો લાભ લેતાં હોય છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદરા, બનાસકાંઠા)

Related posts

વડોદરા જિલ્લા સ્તરના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વાઘોડીયાની પસંદગી

aapnugujarat

માંડલ ખંભલાય મંદિરે મહાકાલ મૃત્યુંજય મહાયાગ પ્રસંગે વર્ષોથી ટ્રસ્ટમાં યોગદાન આપનાર મહાનુભાવોનું કુત્સસ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

aapnugujarat

ભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જ્યોતિરાદિત્યસિંહ સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1