વઢિયારી પંથકના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શાંત વાતાવરણ અને જરુરી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી જય ભારત હાઈસ્કૂલની બાજુમાં ચામુંડા લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીનું સમી પોલીસ સ્ટેશનનાં પીએસઆી એચ.એલ.જોષી અને એડવોકેટ વી.ડી.ઠાકોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંજય પટેલ(આચાર્ય,જય ભારત), દિનેશ સોલંકી, નરેશ નાડોદા, ભરત નાણેચા, અરવિંદજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સંજય ઠાકોર અને આભારવિધિ મહાદેવયોગી એ કરી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)
પાછલી પોસ્ટ