Aapnu Gujarat
ગુજરાત

ભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જ્યોતિરાદિત્યસિંહ સિંધિયા

કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભાજપના શાસનને લઇ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ઉગ્ર અસંતોષ અને અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાને ભાજપ નાબૂદ કરવા માંગે છે. આ લોકો બાપુ અને સરદારના નામને કલંક લગાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતની જનતા મતદાન સમયે જોરદાર જવાબ આપશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં આજે ખેડૂતો કૃષિવિરોધી નીતિથી ત્રસ્ત છે, જયારે મોદીજી મસ્ત બન્યા છે. ગુજરાતમાં બળાત્કારના ૪૭૨ કેસો નોંધાયા છે, રાજયના ૫૦ લાખ દલિતો પર રોજ અત્યાચાર થાય છે અને છતાં ભાજપ ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતિ ઉજવે છે. સમગ્ર દેશમાં ઉગ્ર અસંતોષ અને અસહિષ્ણુતાનું વાતાવરણ છે. આજે ગુજરાતની શાળાઓમાં શિક્ષક નથી, વિદ્યાર્થીઓ વાંચી કે લખી શકતા નથી, તેવી શિક્ષણની સ્થિતિ કથળી છે. હું ગુજરાત છું એ કયુ મોડેલ છે એ ગુજરાતના લોકો આજે પૂછી રહ્યા છે. સિંધિયાએ એવો કટાક્ષ પણ કર્યો હતો કે, મોદીજી બુલેટટ્રેનની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ અને ઉઁચી-તગડી ફી બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યા છે. દેશમાં દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાનો મોદી સરકારે વાયદો કર્યો હતો પરંતુ તે પણ પૂર્ણ કરાયો નથી. ચીનના પ્રમુખને રિવરફ્રન્ટ પર હીંચકામાં બેસાડી ઢોકળા પીરસી નોકરીઓ ચીનને ભેટમાં આપી દીધી અને ગુજરાત સહિત દેશના યુવાનોને બેરોજગાર બનાવી રાખ્યા. આજે યુવાનો ડિગ્રી લઇને ફરે છે પરંતુ તેમને રોજગારી મળતી નથી તે કરૂણતા છે. અમે ગુજરાતમાં બદલાવ લાવીશું. અમે બદલાની નહી, બદલાવની રાજનીતિમાં માનીએ છીએ. જો કોંગ્રેસની સરકાર આવશે તો, મહિલાઓ માટે ફાસ્ટટ્રેક કોર્ટ અને ચોવીસ કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. પાટીદારોના અનામત મુદે પણ તેમણે આશા સેવી હતી કે, કોંગ્રેસ ચોકક્સ કોઇ રસ્તો શોધી કાઢશે. વિકાસ થવો જોઇએ પણ ગરીબો અને સામાન્ય માણસને સાથે રાખીને. ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીના મતદાન સમયે પ્રજા જવાબ આપશે અને કોંગ્રેસને જીતાડશે.

Related posts

गुजरात बीजेपी अध्यक्ष जीतू वघानी का बेटा फेल, तीन साल का बैन

aapnugujarat

રાહુલ ગાંધીએ મતદારોનો સર્વે કરવા ગુજરાતમાં ટીમો ઊતારી

aapnugujarat

રાજ્ય બહારનાં ગુનાઓને પણ ઉકેલી દેવામાં આવ્યાં છે : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1