Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજનાં ચીમનગઢમાં યુવકની કરપીણ હત્યાથી સનસનાટી

કાંકરેજ તાલુકાના ચીમનગઢમાં ૩૫ વર્ષીય યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર દિનેશ રાયમલભાઈ કથરોટીયા રાત્રીના સમયે કપાસમાં પિયત કરવા માટે ખેતરે ગયા હતા જ્યાંથી તેમનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. ખેતરમાં બાંધેલા છાપરા પાસે ખાટલામાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. ઘટના સ્થળેથી લોહીવાળી કુહાડી પણ મળી આવી છે. આ બનાવની જાણ થતાં શિહોરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના પિતાના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના શ્રમિકે તેમના પુત્રની હત્યા કરી છે, તે શ્રમિક અહીંયાં કામ કરતો હતો અને એકાદ મહિના પહેલા તેના ગામ જતો રહ્યો હતો. પરિવારને મૂકીને થોડા દિવસ પહેલા પરત આવ્યો હતો, તેણે આ હત્યા કર્યાનો આરોપ હાલમાં લગાવાઈ રહ્યો છે. કથિત આરોપીને ૫ થી૬ હજાર રૂપિયા પણ તેમણે વાપરવા આપ્યા હતા.ગામના સરપંચ મનોજ જોષીએ જણાવ્યું હતું કે પરિવારને ન્યાય મળવો જોઈએ. હત્યાની ઘટનામાં હાલ મૂળ રાજસ્થાનના શ્રમિક પર આરોપ લગાવાઈ રહ્યો છે.પોલીસ પણ કેસની તપાસમાં લાગી ગઈ છે.
(અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો આરંભ કલોલ ખાતે થયો

aapnugujarat

ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ સસ્પેન્ડ થયા : વિવાદ છેડાયો

aapnugujarat

પાવાગઢ પોલીસે પાંસ શખ્સોને પિસ્તોલ – કારતુસ સાથે ઝડપ્યા

editor

Leave a Comment

UA-96247877-1