Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વોટબેંક માટે મમતા કોઇપણ હદ સુધી જવા તૈયાર : મોદી

પશ્ચિમ બંગાળનાં બુનિયાદપુર અને બિહારનાં અરેરિયા અને ઉત્તરપ્રદેશનાં એટામાં આક્રમક ચૂંટણી પ્રચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ આજે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સભાઓ કરી હતી. સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં મોદીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી વોટબેંક અને તુષ્ટીકરણ માટે બીજા દેશોના લોકોને બોલાવીને પ્રચાર કરાવી રહ્યા છે. સમગ્ર દેશના લોકો કહી રહ્યા છે કે, આ વખતે બંગાળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
આ વખતે ચોક્કસપણે રાજ્યના લોકોએ ફેરફાર કરવા માટે કમરકસી લીધી છે. મમતા બેનર્જીની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, સ્પીડ બ્રેકર મમતા બેનર્જીને ૨૩મી મેના દિવસે ખબર પડી જશે કે જનતાની સાથે મારામારી કરવા, ગુંડાગર્દી કરવા અને તેમના વિકાસને રોકવાના પરિણામ શું હોય છે. મોદીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી હદ તો એ વખતે કરી રહ્યા છે જ્યારે તેઓ કહે છે કે, પશ્ચિમ બંગાળનું મોડલ સમગ્ર દેશમાં લાગૂ કરવા માંગે છે. જ્યા ટોળાબાજી અને ટેક્સ વગર જીવન પણ ચાલતું નથી. ગરીબોને ગરીબ રાખવા માટે કાવતરા ઘડવામાં આવે છે. ગરીબોની કમાણીને ટીએમસીના નેતાઓ લુંટી કાઢે છે જ્યાં પૂજા કરવાની બાબત પણ મુશ્કેલ હોય છે. સરઘસ કાઢવા પણ મુશ્કેલ હોય છે. તુષ્ટીકરણ માટે બીજા દેશોના લોકોને બોલાવીને પ્રચાર કરવામાં આવે છે. ભારતમાં ક્યારેય આવું બન્યું નથી કે, દુનિયાના કોઇ દેશના લોકો આવીને ભારતમાં પ્રચાર કરે. પોતાની તિજોરીને ભરવા અને વોટબેંક માટે દીદી કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આ પ્રકારના મોડલ દેશ તો દૂર પરંતુ બંગાળ માટે પણ મંજુર નથી. મોદીએ કહ્યું હતું કે, તેઓ મિડિયામાં જોઈ રહ્યા હતા કે કઇરીતે સામાન્ય લોકોએ, માતાઓએ ટીએમસીના ગુંડાઓને બોધપાઠ ભણાવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો, મજુરો, વેપારી, કર્મચારીઓ, માતાઓ, બહેનો અને યુવાનો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા.
પ્રથમ અને બીજા તબક્કામાં મતદાનને લઇને જે રિપોર્ટ આવી રહ્યા છે જેનાથી સ્પષ્ટ છે કે, સ્પીડ બ્રેકર દીદીની ઉંઘ હરામ થઇ ગઇ છે. મોદીએ મમતા બેનર્જી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ખળભળાટમાં કઇ પ્રકારના જધન્ય અપરાધ થઇ રહ્યા છે. દેશના લોકો જોઈ રહ્યા છે. અમારા કાર્યકરની પુરુલિયામાં હત્યા કરી દેવામાં આવી છે. તેમના પરિવારની સાથે પોતે અને પાર્ટીના કાર્યકરો ઉભા છે. તેઓ તમામ લોકોને ખાતરી આપવા માંગે છે કે, અત્યાચારને લઇને પૂર્ણ ન્યાય કરવામાં આવશે. આવા લોકોને કઠોર સજા કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ જનસભામાં ઉપસ્થિત લોકોને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, મમતા બેનર્જીની લૂંટફાટ અને ભ્રષ્ટાચારના સિલસિલાને હવે લોકો ચલાવવા માંગે છે કે કેમ. સ્પીડ બ્રેકર દીદીને સજા મળવી જોઇએ કે કેમ તેવો પ્રશ્ન પણ કર્યો હતો. બંગાળમાં હવે તમામ લોકો મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. મમતાના કારનામા જોઈને લોકો શરમ અનુભવ કરી રહ્યા છે. મા, માટી અને માનુષના નામ ઉપર વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. બંગાળમાં લોકો હવે મમતા બેનર્જીથી પરેશાન થયેલા છે. મોદીએ આજે બંગાળમાં આક્રમક પ્રચાર કર્યો હતો. બાલુરઘાટમાં જનસભામાં મોદીએ એમ પણ કહ્યું હતું કે, એર સ્ટ્રાઇકના પુરાવા મમતા બેનર્જી દ્વારા પણ માંગવામાં આવી રહ્યા છે.
ચીટ ફંડ કૌભાંડના પુરાવા શોધવામાં આવે તો વધારે યોગ્ય રહેશે. ૨૩મી મેના દિવસે પરિણામ આવશે ત્યારે તમામ બાબતો સ્પષ્ટ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ બિહારના અરેરિયા અને ઉત્તરપ્રદેશના એટામાં આક્રમક ચૂંટણી સભા કરી હતી. એકબાજુ બિહારના અરેરિયામાં રેલી દરમિયાન મોદીએ બાટલા હાઉસનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
રેલી દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓને ચેતવણી આપી હતી કે, એર સ્ટ્રાઇક ઉપર આ લોકો પ્રશ્નો કરવાની સ્થિતિમાં નથી. દિલ્હીમાં બાટલા હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. બાટલા હાઉસ ઉપર પ્રશ્નો ઉઠાવવા અને શહીદ જવાનોનું અપમાન એ ગાળામાં કરવામાં આવ્યું હતું. મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, મુંબઈમાં હુમલા બાદ કોંગ્રેસના લોકો પાકિસ્તાન પર કાર્યવાહી કરવાના બદલે હિન્દુઓને ત્રાસવાદ સાથે જોડી રહ્યા હતા. એ પ્રકારની વોટ ભક્તિની રાજનીતિ કરવામાં આવી હતી જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસમાં જવાનોએ આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો ત્યારે આતંકવાદીઓ સામે કાર્યવાહીથી ખુશ થવાના બદલે કોંગ્રેસી નેતાઓ રડી રહ્યા હતા. બાટલા હાઉસમાં આતંકવાદીઓને જવાનોએ ઠાર માર્યા હતા. ભોપાલમાં ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ આજે આ મુદ્દા ઉપર મોદીએ વળતા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલા જે લોકો પુરાવા માંગી રહ્યા હતા. બે તબક્કાના મતદાન બાદ તેમના ચહેરા ઉતરી ગયા છે. હવે આ લોકો પુરાવા માંગી રહ્યા નથી. કેટલા આતંકવાદી મર્યા હતા તેવા પ્રશ્નો કરવાનું બંધ કરી ચુક્યા છે. પ્રથમ બે તબક્કામાં મતદાન બાદ તેમના પગની નીચેની જમીન સરકી ચુકી છે.
ટુકડે ટુકડે ગેંગને પ્રોત્સાહન આપવાનું કામ થતું રહ્યું છે. બીજી બાજુ એટામાં મોદીએ અખિલેશ અને માયાવતી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશમાં દુશ્મની પાર્ટ-૨ની શરૂઆત થશે. મહામિલાવટના લોકો સ્વાર્થમાં એકત્રિત થયા છે.
ચૂંટણી બાદ દુશ્મનીની શરૂઆત થશે. પહેલા એકબીજાના ચહેરા જોતા ન હતા. આજે તેમની વચ્ચે બનાવટી મિત્રતા છે.
બનાવટી મિત્રતા તુટવાની તારીખ પણ નક્કી થઇ ચુકી છે. બુઆ અને બબુઆ વચ્ચે ૨૩મી મે બાદ ફરી દુશ્મનીની શરૂઆત થશે. બુઆ અને બબુઆના શાસનકાળમાં દલિતો પર અત્યાચાર થયો હતો.

Related posts

चारधाम यात्रा : २० दिनों में १७ श्रद्धालुओं की मौत हुई

aapnugujarat

એક દિનના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમત ઘટી

aapnugujarat

बिहार विधानसभा चुनाव के दूसरे चरण में 94 सीटों पर मतदान कल

editor

Leave a Comment

UA-96247877-1