ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીએ રવિવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિરમાં તેણે મહાદેવની પૂજા અને ધ્વજારોહણનો લાભ પણ લીધો હતો. તેમણે સોમનાથ મહાદેવને ગંગાજળથી અભિષેક કરી દેશ દુનિયામાં સૌ સુખી રહે તેવી પ્રાર્થના કરી હતી તથા રામનવમીના પવિત્ર દિવસે સોમનાથ દાદાનાં દર્શન કરી હું ધન્ય બન્યો છું તેમ જણાવ્યું હતું. આદિત્ય પંચોલી શિવભક્ત છે, ગયા વર્ષે પણ તેઓ જૂનાગઢનાં મહેમાન બન્યાં હતો ત્યારે ગિરિ તળેટીમાં આવેલાં ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આદિત્ય પંચોલી દયાવાન, યસબોસ, માલામાલ, સૈલાબ, બાજીરાવ મસ્તાની જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમના પુત્ર સુરજ પંચોલીએ પણ ૨૦૧૫માં હીરો ફિલ્મથી પોતાની કરિયર શરૂ કરી હતી.
રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)
આગળની પોસ્ટ