ઉત્તર પ્રદેશ પોલીસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બહાર સ્વદેશી પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા શખ્સની આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભમાં વધુ વિગતો હજુ સુધી મળી શકી નથી પરંતુ પોલીસના કહેવા મુજબ આ શખ્સ માનસિકરીતે પરેશાન છે. પારિવારિક કટોકટીના કારણે પરેશાન થયેલો છે. આત્મહત્યા કરવાના પ્રયાસમાં હોવાની વિગતો પણ મળી છે. જો કે, પોલીસે આ અહેવાલને હજુ સુધી પુરતા પુરાવા સાથે સમર્થન આપ્યું નથી. ઉત્તર પ્રદેશ પોલીસે ઝડપી પાડેલા આ શખ્સની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. યોગી આદિત્યનાથ પહેલાથી જ કટ્ટરપંથીઓના હિટલિસ્ટમાં રહ્યા છે. આવી સ્થિતિમાં આ શખ્સની ધરપકડ ચિંતાજનક સ્થિતિ સર્જે છે. ઉત્તરપ્રદેશમાં પહેલા પણ અનેક કટ્ટરપંથીઓની ધરપકડ થઇ ચુકી છે.
પાછલી પોસ્ટ