Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૨.૪૦ લાખ કેસ નોંધાયા,

કોરોના વાઈરસ વિરુદ્ધ જંગમાં ભારતને જીત મળતી હોય તેમ લાગી રહ્યું છે અને હવે કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નબળી પડી રહી છે. દેશના અલગ-અલગ ભાગોમાં લેવામાં આવેલા આકરા પગલા અને વૅક્સિનેશન અભિયાનની અસર હોવો જાેવા મળી રહી છે, કારણ કે આ મહિનામાં પ્રથમ વખત છે, જ્યારે એક દિવસમાં ૨.૫૦ લાખની નીચે નવા કેસ મળ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૪૩,૭૭૭ નવા કોરોનાના પોઝિટિવ કેસો મળ્યાં છે. જે આ મહિનાના અત્યાર સુધીના સૌથી ઓછા કેસ છે. આટલું જ નહીં, પ્રતિદિન થનારા મોતના આંકડામાં પણ મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. આમ ૩૫ દિવસો બાદ કોરોનાના નવા કેસો ૨.૫૦ લાખની નીચે નોંધાયા છે. અગાઉ ૧૬મીં એપ્રિલે ૨,૩૪,૦૦૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે આજે એક દિવસમાં વધુ ૩,૭૮૮ દર્દીઓના મરણ નોંધાયા છે.
નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨,૬૫,૨૮,૮૪૬ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં ૨,૯૯,૨૯૬ દેશવાસીઓને ભરખી ચૂક્યો છે.
હાલ દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસોની સંખ્યા ૨૮,૦૦,૪૦૩ પર પહોંચી ચૂકી છે. જાે કે દેશમાં રિકવરી રેટ રાહત આપનારો છે. આજે એક જ દિવસમાં ૩,૫૪,૮૨૫ લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. જાે નવા કેસ અને સ્વસ્થ થનારા દર્દીઓની સરખામણી કરીએ તો, જેટલા નવા દર્દીઓ મળ્યાં છે, તેના કરતાં ૧ લાખ વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ, ભારતમાં ગઈ કાલે કોરોના વાઈરસ માટે કુલ ૨૧,૨૩,૭૮૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં કાલે કુલ ૩૨,૮૬,૦૭,૯૩૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.
ભારતમાં ૨૧ મે સુધીમાં ૮૩,૧૩૫ મોત નોંધાયા છે, જે પાછળના ત્રણ અઠવાડિયામાં નોંધાયેલા ૪૩,૨૫૮ મોતથી ૯૨% વધુ છે. જેની સરખામણીમાં આંકડા જાેઈએ તો તે ૧૦-૨૦ એપ્રિલ વચ્ચે ૫૯.૫ લાખથી ૨૦% વધીને ૧-૨૧ મે વચ્ચે ૭૧.૩ લાખ સુધી પહોંચ્યા. એટલે કે કેસની સરખામણીમાં મૃત્યુઆંકમાં ત્રણ ગણો ઉછાળો દેખાયો છે.

Related posts

बीजेपी एमएलए आकाश विजयवर्गीय के खिलाफ मध्यप्रदेश नगर निगम कर्मियों का प्रदर्शन

aapnugujarat

૬૦ વર્ષીય વૃદ્ધે કોર્ટમાં પત્નીથી છૂટકારો મેળળવા માટે અરજી કરી

aapnugujarat

લલૌલીમાં રહસ્યમયી તાવના કારણે ૧૦૦થી વધુના મોત

editor

Leave a Comment

UA-96247877-1