સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું જ્યાં સૌથી વધુ ત્રાટકવાનું છે, એ વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવકાર્ય માટે નૌસેનાએ પોતાના જહાજાે અને વિમાનો તૈયાર રાખ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે (૨૬મી મે) સાંજે બંને રાજ્યો પર ત્રાટકશે. વાવાઝોડાને લીધે પવન ૯૦થી ૧૧૦ કિ. મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.૨૬મીએ કિનારા નજીકના જિલ્લાઓમાં અમુક સ્થળે ભારેથી અતિભારે અને બંને રાજ્યોમાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ