Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશ હજુ પણ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટમાં તેની બાલ્યાવસ્થામાં છે : ઇસરો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના અધ્યક્ષ એસ. સોમનાથે બેંગલુરુમાં જણાવ્યું કે, ઈસરોએ આગામી ત્રણ મહિનામાં ત્રણ મોટા રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. તેમણે જણાવ્યું કે આ રોકેટોમાં સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, લોન્ચ વ્હીકલ માર્ક અને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો સમાવેશ થાય છે. ગગનયાનના પ્રક્ષેપણ અંગે સોમનાથે કહ્યું કે ગગનયાનનું ફ્લાઇટ ટેસ્ટ એપ્રિલ કે મે મહિનામાં થઈ શકે છે. સોમનાથ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ પર ત્રણ દિવસીય વર્કશોપનું ઉદ્‌ઘાટન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અંત સુધીમાં અમે એસએસએલવી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તે પછી આગળનું મિશન એલવીએમ-૩ હશેપ તે પછી પીએસએલવીને ફરીથી વ્યાપારી હેતુ માટે લોન્ચ કરવામાં આવશે. આગામી ત્રણ મહિના માટે આ તાત્કાલિક લક્ષ્ય છે.” ગગનયાન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સોમનાથે કહ્યું કે, ગગનયાનનું ફ્લાઇટ ટેસ્ટ એપ્રિલ અથવા મે મહિનામાં થઈ શકે છે. ગગનયાન એ અવકાશમાં ક્રૂ મોકલવાનું ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન છે. ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે દેશ હજુ પણ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટમાં તેની બાલ્યાવસ્થામાં છે અને ઇસરો આ ક્ષેત્રમાં ક્ષમતાઓ વિકસાવવા માટે વિચારી રહી છે. તેમણે કહ્યું કે ઇસરો દેશમાં અવલોકન પ્લેટફોર્મ બનાવવા માટે તકનીકી ક્ષમતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે વિશ્વમાં પરસ્પર સન્માન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું, “ભારત એસએસએ અને એસટીએમના આ વિશેષ ક્ષેત્રમાં રસ ધરાવે છે. અમે નાગરિક અને સુરક્ષા બંને પાસાઓમાં ભારતમાં ક્ષમતાઓ વિકસાવવા માંગીએ છીએ. અવકાશ વિજ્ઞાનીએ કહ્યું, “અમે ભારતમાં અવલોકન પ્લેટફોર્મ બનાવવાની તકનીકી ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, વૈશ્વિક અવકાશ પરિસ્થિતિની જાગૃતિમાં આગાહી કરવાની અને તેમાં યોગદાન આપવાની ક્ષમતા ધરાવીએ છીએ, અને આખરે, જ્યાં સુધી આપણે આ ક્ષેત્રમાં મજબૂત નથી ત્યા સુધી પરસ્પર આદર નહીં મળે.” બેગ્લોરમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ વિષય પર આયોજિત વર્કશોપ દરમિયાન તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ ક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ અને વિશ્વના વિવિધ ભાગોના નિષ્ણાતોએ વર્કશોપમાં ભાગ લીધો હતો. સોમનાથે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય પરસ્પર આદર હાંસલ કરવાનો છે. જેથી કરીને ભારત અને અન્ય દેશો વચ્ચે પરસ્પર ડેટા અને માહિતી વહેંચી શકાય.

Related posts

ભ્રમિત ન થવું, અમારી લડાઈ ફક્ત મોદી સરકાર સાથે જ છેઃ સુરજેવાલા

editor

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

aapnugujarat

આખરે નિરવ મોદી ગ્રુપના ૪૪૦ મિલિયનના શેર, બેંક થાપણો ફ્રીઝ, મોંઘીદાટ ઘડિયાળો પણ કબજે લેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1