દેવબંધમાં બીજા દિવસે પણ જમીયત ઉલમા-એ-હિન્દનું સંમેલન ભરાયું હતું. તે દરમિયાન જમીયત તરફથી ઘણા પ્રકારના પ્રસ્તાવો પર મોહર લગાવવામાં આવી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા શાહી ઇદગાહ જેવા મુદ્દાઓ પણ સામેલ છે. સંમેલનમાં બીજા દિવસે પણ જમીયતના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું હતું કે, દરેક ચીજ સમજૂતી હોઈ શકે છે, પરંતુ વિચારધારા પર સમજૂતી થઈ શકે એમ નથી. શરીયતમાં દખલગીરી સહન કરવામાં આવશે નહીં. મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું હતું કે, આજે અમારા અસ્તિત્વનો સવાલ છે. મુસલમાનોને પહેલાથી જ જુલ્મ સહન કરવાની આદત છે. અમે પહેલા દેશ બચાવવા માંગતા હતા. એટલા માટે અમે દેશની વાત પહેલા કરી રહ્યા છીએ, પરંતુ તેનાથી દેશમાં ઘણા બધા લોકોના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. જાે તેઓ રાષ્ટ્રવાદની વાત કરે છે તો યોગ્ય છે, પરંતુ જાે અમે આ વાત કરીશું તો દેખાવો ગણાશે. જાે આ દેશની સુરક્ષા માટે અમારો જીવ પણ જશે તો અમારા માટે સૌભાગ્યની વાત હશે. મદનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણા સ્વરમાં તેમણે નફરત ક્યાંથી નજરે પડે છે? અમે ડરાવતા નથી, તમે ડરાવવાનું કામ કરો છો. અમારું અસ્તિત્વ નથી, અમે આ દેશના છીએ, આ આપણો દેશ છે. અમે અમારા દેશ પ્રત્યેની અમારી જવાબદારી નિભાવીશું. આપણી સંસ્કૃતિ, ખાણીપીણીની રીત અલગ છે… જાે તમને અમારો ધર્મ સહન ન થાય તો તમે બીજે ક્યાંક જાઓ. તેઓ નાની નાની વાત પર જણાવે છે કે પાકિસ્તાન ચાલ્યા જાવ. અમને તો તક મળી હતી, પરંતુ અમે તેને ફગાવી દીધી હતી. જમિયતની આ બેઠકમાં મદનીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઋષિકેશથી દિલ્હી સુધી હજારો વૃક્ષો વાવ્યા છે. મંદિરો, મસ્જિદો અને શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આપણે આ વરસાદી મોસમમાં પણ આવું જ અભિયાન ચલાવવાનું છે. લોકો બોલશે, લખશે… પણ તેની પરવા નથી. તેણે વધુમાં કહ્યું કે અમે અહીં લાંબા સમય પછી મળી રહ્યા છીએ. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે પર્સનલ લૉનું પાલન બદલવું કે અટકાવવું એ કલમ ૨૫માં આપેલી બાંયધરી વિરુદ્ધ છે. આ હોવા છતાં, ઘણા રાજ્યોમાં શાસક લોકો પર્સનલ લોને નાબૂદ કરવાના ઇરાદા સાથે ‘સમાન નાગરિક સંહિતા કાયદો’ લાગુ કરવાની વાત કરી રહ્યા છે અને દેશના બંધારણની સાચી ભાવનાને અવગણીને, બંધારણ અને અગાઉની સરકારોની ખાતરીઓ અને વચનોને બાયપાસ કરી રહ્યા છે. ઠરાવમાં પ્રાચીન ધર્મસ્થળોને લઈને વારંવાર વિવાદ ઊભો કરીને દેશની શાંતિ અને સુલેહ-શાંતિ બગાડનારા પક્ષકારોના વલણ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની ઇદગાહ મસ્જિદ સહિત ઘણી મસ્જિદો વિરુદ્ધ આવા અભિયાનો ચાલી રહ્યા છે, જેણે શાંતિ અને અખંડિતતાને નુકસાન પહોંચાડ્યું છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, બનારસ અને મથુરાની નીચલી અદાલતોના આદેશોએ વિભાજનકારી રાજકારણને મદદ કરી છે. પૂજાના સ્થળો (વિશેષ જાેગવાઈઓ) અધિનિયમ ૧૯૯૧ માટે સ્પષ્ટ અવગણના કરવામાં આવી છે. સંસદમાંથી ર્નિણય લેવામાં આવ્યો છે કે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ જે પૂજા સ્થળ હતું તે યથાવત રહેશે. કહેવામાં આવ્યું હતું કે નીચલી અદાલતોએ પણ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના ર્નિણયની અવગણના કરી છે.
આગળની પોસ્ટ