ડૉ.બી.આર. આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગાંધીનગર મહાનગરમાં હજારો ગરીબ પરિવારોને અન્ન વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર ભાજપના અધ્યક્ષ રૂચિત ભટ્ટ, પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી વિક્રમ ચૌહાણ, મંત્રી નરેન્દ્ર પરમાર, મિડિયા ઈન્ચાર્જ દેવેન વર્મા તથા કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.