વડગામ ખાતે ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પાલનપુર થી રેલી માં જોડાઈ ને વડગામ તાલુકાના લિબોઇ નજીક આવેલ ગૌશાળા ખાતે સામાજિક સમરસતા સંમેલન યોજવા જઇ રહ્યા છે ત્યારે આજે સાંજે ૭ કલાકે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા સંગઠન ના પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ અનુસુચિત જાતિ પ્રદેશ મોરચાના પ્રમુખ ડો.પધુમ્નભાઇ વાજા તથા મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા તથા અનુસુચિત જાતિ મોરચો મિડીયા પ્રદેશ કન્વીનર દેવનભાઇ વર્મા સાથે રહીને મીટ ધ પ્રેસ યોજીને પત્રકાર મિત્રોને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સાથે માહિતી ગાર કરવામાં આવ્યા હતા.