Aapnu Gujarat
ગુજરાત

મોટા સમાચાર: પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે મીડિયાને કરશે સંબધોન, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

પાટીદાર આગેવાન એવા નરેશ પટેલની ઘણા સમયથી રાજકારણમાં જોડાવવાને લઈને અસમંજસની સ્થિતિ ચાલી રહી છે. અાજે તેઓ પત્રકાર પરીષદ આજે સંબોધવાના છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક પણ કરી હતી. તેવી સૂત્રો પાસેથી માહીતી મળી રહી છે.

રાજકોટ ખાતે સરદાર પટેલ ભવનમાં સાંજે 5 કલાકે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં પત્રકાર પરીષદને તેઓ આજે સંબોધશે. હજુ સુધી કઈ પાર્ટીમાં જશે તેને લઈને ઓફીસિયલ કોઈ વિગત સામે નથી આવી પરંતુ તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

આજની પત્રકાર પરીષદ ઘણી મહત્વની રહેશે. આજે કદાચ તેઓ તેમાં જાહેરાત કરી શકે છે. ગુજરાતના રાજકારણમાં સૌ કોઈ તેમના રાજકારણમાં આવવાને લઈને રાહ જોવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ કે, આપ પાર્ટીમાંથી શેમાં જોડાશે તેને લઈને સવાલો ઉભા થઈ હ્યા છે. અગાઉ તેમને 20થી 30 તારીખની વચ્ચે હું રાજકારણાં જોડાવવા ને લઈને જાહેરાત કરીશ તેવું તેમને અગાઉ મીડિયા સાથે વાત ચીત કરતા જણાવ્યું હતું.

Related posts

રેગ્યુલર સ્કૂલના સમયની જેમ 5થી 6 કલાક ભણાવતી શાળાઓને અપાશે સમય લિમિટ

editor

विरमगाम : पतंग लूटने के चक्कर में दो भाईयों की मौत

editor

દેવમોગરામાં આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીનાં દર્શન, પૂજા-અર્ચના કરતાં નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1