બનાસકાંઠા જિલ્લાના દિયોદર ઠાકોર બોડિંગ ખાતે સંત શ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ દિયોદર આયોજિત ઠાકોર સમાજ કન્યા કેળવણી રથયાત્રાના કાર્યક્રમના ભાગ રૂપે ઠાકોર સમાજની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણે કન્યા કેળવણી રથયાત્રા વિશે વિસ્તૃત માહિતી આપીને જવાબદારી ઓ સોપવામાં આવી હતી
આ બેઠકમા બનાસ બેંક વાઈસ ચેરમેન પીરાજી ઠાકોર , દિયોદર વિરોધ પક્ષના નેતા બળવંતજી ઠાકોર, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના ઉપાધ્યક્ષ નરેશજી ઠાકોર નુ ફુલહાર તેમજ સાલ દ્વારા વિવિધ આગેવાનો એ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આવેલા મહાનુભાવોએ સમાજ માટે અડધી રાત્રે અમે તૈયાર છીએ તેવી ખાત્રી પણ આપી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ,કાર્યકરો અને યુવાનો ઉપસ્થિતિ રહયા હતાં