ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર એક અખબારી યાદી જણાવે છે કે વર્તમાન સમયમાં આપણો દેશ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ છે ત્યારે દેશનાં સૌ નગરિકોએ મળીને એ વિષય પર ચિંતન કરવાની જરુર છે. આ વિષય પર એક જાહેર કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર શહેરનાં શ્રી સી. યુ. શાહ મેડિકલ હોલ ખાતે તારીખ ૦૯/૦૨/૨૦૧૮ને શુક્રવારે રાત્રે ૯ઃ૦૦ વાગ્યે કરેલ છે. આ વિષય પર મધુભાઇ કુલકર્ણી પોતાનાં વિચારો રજુ કરશે. મધુભાઇ કુલકર્ણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં અખિલ ભારતીય બૌધિક પ્રમુખ રહી ચુક્યા છે. હાલમાં તેઓ સંઘની રાષ્ટ્રીય કારોબારીનાં સદસ્ય છે. આ કાર્યક્રમમાં શહેરનાં નામાંકિત નાગરિકો ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર શહેરનાં સૌ નાગરિકોને પણ આ પ્રવચનનો લાભ લેવા આમંત્રણ છે.
રિપોર્ટર :- અમિત હળવદીયાઃ- વિરમગામ