Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં દેશની આંતરિક સમસ્યા અને તેનો ઉકેલ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજાશે

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર એક અખબારી યાદી જણાવે છે કે વર્તમાન સમયમાં આપણો દેશ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ છે ત્યારે દેશનાં સૌ નગરિકોએ મળીને એ વિષય પર ચિંતન કરવાની જરુર છે. આ વિષય પર એક જાહેર કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર શહેરનાં શ્રી સી. યુ. શાહ મેડિકલ હોલ ખાતે તારીખ ૦૯/૦૨/૨૦૧૮ને શુક્રવારે રાત્રે ૯ઃ૦૦ વાગ્યે કરેલ છે. આ વિષય પર મધુભાઇ કુલકર્ણી પોતાનાં વિચારો રજુ કરશે. મધુભાઇ કુલકર્ણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં અખિલ ભારતીય બૌધિક પ્રમુખ રહી ચુક્યા છે. હાલમાં તેઓ સંઘની રાષ્ટ્રીય કારોબારીનાં સદસ્ય છે. આ કાર્યક્રમમાં શહેરનાં નામાંકિત નાગરિકો ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર શહેરનાં સૌ નાગરિકોને પણ આ પ્રવચનનો લાભ લેવા આમંત્રણ છે.
રિપોર્ટર :- અમિત હળવદીયાઃ- વિરમગામ

Related posts

રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ પરિસરની માટી લેવાઈ

editor

જયેશભાઈ રાદડીયા સંચાલીત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ-જામકંડોરણા ખાતે રમતોનું આયોજન

editor

जून तिमाही में जीडीपी विकास दर घटकर ५%

aapnugujarat

Leave a Comment

UA-96247877-1