શ્રી રામ મંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્નેના અલગ અલગ કુંભો બનાવી તેની પૂજારી દ્વારા પૂજન કરી “ વિજય મુહુર્તમાં સોમનાથ જીલ્લાના વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષ નરેશ પર્યાણીને અર્પણ કરવામાં આવેલ.આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જીલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોય પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ કરી મોકલવામાં આવેલ છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ