Aapnu Gujarat
Uncategorized

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

 

 

માહિતી બ્યુરો, વડોદરા, ૩ ઓગસ્ટ, ૨૦૧૭ (ગુરુવાર)      ઓગસ્ટ મહિનાનો વડોદરા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મહિનાના ચોથા ગુરુવાર તા.૨૪/૦૮/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજાવાનો છે.

આ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરવા માંગતા અરજદારોને તેઓના સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૦/૦૮/૨૦૧૭ સુધીમાં કલેકટર કચેરીમાં પોસ્ટથી કે રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અરજી ઉપર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ લેવું તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ અંગેની અરજી બે નકલમાં આપવાની રહેશે. નિયત સમયમાં મળેલી અરજીઓ જ ધ્યાને લેવાશે એમ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે. વિગતવાર જાણકારી માટે કલેકટર કચેરીની જનસંપર્ક શાખાનો સંપર્ક કરવો.

Related posts

કોંગ્રેસ ગરીબોને રૂ.૭૨ હજાર કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે : રૂપાલા

aapnugujarat

માળીયા હાટીના તાલુકામાં રોડ-રસ્તાઓના કામો ચાલુ,જિલ્લા સાંસદના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

editor

ન્યૂ યરમાં પ્રવાસીઓથી ઉભરાયું ગીર જંગલ

editor

Leave a Comment

UA-96247877-1