ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ૧૧૫૦ની વસ્તી ધરાવતા ગુંદાળા ગામમાં પાણી માટે સવારથી લાંબી કતારો લાગે છે. ગામ માં નર્મદાનું પાણી પંપ સુધી પહોંચે તો છે પણ નળ લાઈન ખરાબ હોવાથી ઘરે-ઘરે પહોંચતું નથી. ગામથી પાણીનો સમ્પ દૂર હોવાથી લોકો પાણી ભરવા હંડ પંપનો ઉપયોગ કરે છે. ગામમાં ત્રણ હેન્ડપંપમાંથી એક જ હેન્ડ પંપમાં પાણી આવે છે. જમીનમાંથી તેના દ્વારા પાણી ખેંચી ક્ષારયુક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક પાણી પીએ છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ