જામનગરમાં આડા સબંધોનો વધુ એક કરુણ અંજામ જામનગર શહેરમા જોવા મળ્યો છે. પત્નીએ પોતાના પ્રેમીની મદદથી પ્રેમમાં આડખીલી રૂપ બનેલા પોતાના પતિનો કાંટો કાઢી નાખવા કારસો રચ્યો હોવાનું હત્યામાં મામલો સામે આવ્યો છે.
આધેડની કરપીણ હત્યાના અંજામ આપવામાં આવતા શહેરના પોશ વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની વિગત પ્રમાણે, નટુભાઈ થાનકી (ઉં.વ ૪૮) જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહે છે અને રસોયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. નટુભાઈની પત્નીનું નામ મંજુલાબેન છે. મંજુલાબેનને આ ઉંમરે દેવાણંદ આહીર આંખ મળી ગઈ હતી. બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી આડા સબંધો હતા. દેવાનંદ અને મંજુલા વચ્ચે પ્રેમ આ ઉમરે પણ પાંગર્યો હતો. જેની જાણ નટુભાઈને થઈ ગઈ હતી. પતિ નટુભાઈ પ્રેમમાં આડખીલી રૂપ બનતા હતાં.
તકનો લાભ લઈને મંજુલા અને દેવાણંદ બને એટલે કે પ્રેમી અને પત્નીએ સાથે મળીને નટુભાઈને કોઈ બોથડ પદાર્થનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું નટુભાઈના ભત્રીજાની ફરિયાદના આધારે સીટી સી ડિવીજન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નટુભાઈ થાનકીની હત્યાને તેની જ પત્ની અને પ્રેમીએ અંજામ આપ્યા બાદ પોલીસની પકડમાંથી છટકવા માટે હત્યારી પત્ની મંજુલાએ સગાસબંધીઓને તેના પતિ નટુભાઈ સીડી પરથી પટકાઈ જતા મોત નીપજ્યું હોવાનું રટણ કર્યે રાખ્યું હતું. મંજુલાએ હત્યાના બનાવને અકસ્માતના બનાવમા ખપાવી દેવાની પણ ચાલ રમી હતી. પણ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં વધુ તપાસ આરંભી છે.
આગળની પોસ્ટ